ઉનાળામાં લુ ન લાગે તે માટે શું કરવું

ઉનાળામાં સખત ગરમી પડે છે જેના કારણે તાપમાન ખુબજ ગરમ બને છે જેનાથી લુ લાગવાના ચાન્સ વધી જાય છે. આ કુદરતી તાપથી -લુ થી બચવા ખુબ જ કાળજી લેવી  પડે છે.

લુ લાગવાનું કારણ- અસહ્ય ગરમીમાં કામ કરવાથી, ફરવાથી તમારા શરીરનુ તાપમાન વધી જાય છે,હાથ પગ દુુખવા લાગે છે, ખુબ જ તરસ લાગે છે, ચક્કર આવે, માથું દુખે, તાવ આવી જાય, શ્વાસ ચડી જાય, હ્રદયના ધબકારા વધી જાય, તુરંત સારવાર ના મળે તો મુત્યુ પણ થાય...
ગરમ હવા વાળા હવામાન મા કામ કરવાથી, ફરવાથી, મહેનત કરવાથી, શરીરને ઢાંક્યા વગર કામ કરો તો લુ લાગી શકે છે.
લુ લાગવાના લક્ષણો - લુ લાગે ત્યારે માથું દુખે, શરીર ગરમ થઇ જાય છે, તરસ લાગે, ઊબકા આવે, શ્વાસ ચડી જાય,થાક લાગે, ચક્કર આવે, આંખ અંધારાં આવે,લુ લાગે તો પાચનતંત્ર નબળું પડી જાય, ઝાડા ઉલટી થાય છે, શરીરમાં પાણીનું પ્રમાણ ઘટી જાય છે.
લુ ન લાગે તે માટે શું કરવું -લુ ન લાગે તે માટેેે ગરમ હવામાનમાં ઓછું જવું, ગરમ તાપમાનમાં શરીરને કપડાથી ઢાંકીને કામ કરવું, સખત તાપમાં એકધારું કામ ન ન કરવું. કામ દરમિયાન થોડા-થોડા સમયે અંતરે પાણી પીવું. ડિહાઇડ્રેશનથી બચવાા લીંબુ પાણી પીવું, ઉનાળાની ઋતુમાં સૌથી વધુુ પાણી પીવું, ગરમી ના લાગે તે માટે ઘરેે બનાવેલા ઠંડાા પીણા પીવા, જેમ કેે લીંબુ સરબત, ગરમીમાં જરૂરિયાત વિના ઘરથી બહાર નીકળવું નહીં,
લૂ લાગે ત્યારે શું કરવું- લૂ લાગે ત્યારે અગત્યનું કામ છે શરીરનું તાપમાન ઘટાડવું. લૂ લાગે ત્યારેેે વ્યકિતને છાંયા નીચે લઈ જવો, ત્યારબાદ તેને કપડાં ઢીલા કરી નાખવા, તેની પૂરતો ઠંડુ પાણી આપવું, તેના શરીર પર ઠંડાા પાણીનો  છંટકાવ કરવો, તેેને ઠંડુ પ્રવાહી આપવું, પ્રાથમિક સારવાર બાદ તુરંત દર્દીનેે નજીકના આરોગ્ય કેન્દ્ર અથવા દવાખાને લઈ જવો.
*દોસ્તો આ પોસ્ટ ગમે તો તમારા મિત્રોને અવશ્ય શેર કરો.. ધન્યવાદ...

Comments